જંગલો નાશ પામે, બાયો- ડાયવર્સિટી એટ્લે જીવજંતુઓની જાતો ખોરવાય ત્યારે ઇકો સીસ્ટ્મ ખોરંભાય છે, જેથી દુકાળ પડે, પૂર આવે. સિસ્ટ્મ જળવાઇ રહે એ માટે કર્મ કરવું તેને ગીતા યજ્ઞ કહે. પ્રકૄતિની કોઇ સિસ્ટમ ના ખોરવાય એ રીતે કરેલા કર્મ યજ્ઞ છે. આવું બને ત્યારે આહાર પણ આહુતિ બને, કોઇ પણ પ્રક્રિયા યજ્ઞ થઇ શકે છે. સારાંશમાં, યજ્ઞ એ પ્રત્યેક માનવની ફરજ બને છે. એનો ધર્મ છેઃ શરીરની, પોળની, સમાજની, ઓફિસની, પરિવારની, દેશની અને વિશ્વની સિસ્ટમની જાળવણી. એ જ યજ્ઞ. એ કર્મયોગ એટલે યજ્ઞકર્મ.
બિરબલની વાર્તામાં હોજમાં દૂધ રેડી આવવાની સૂચનાનો અમલ નથી થતો, બધા લોટો ભરીને પાણી રેડી આવે છે.આપણા જીવનમાં એવું જ બનતું રહે છે. કર્મચારી પગાર પુરતો લે છે પણ કામ બરાબર નથી કરતો. આવા પાણીનાં લોટા આપણા સમાજમાં ભારોભાર ઠલવાય ત્યારે સિસ્ટમ ખોરવાય છે,અનહ્દ દુઃખો-આપત્તિ અડ્ડો જમાવે છે, કામચોરી, દિલચોરી, અને દાણચોરી જેવા અનેક રોગથી સમાજ ઉધઇગ્રસ્ત થાય છે અને સામાજીક પીડા વ્યક્તિને કોરી ખાય છે. જે એટલી હદ સુધી બેબાક્ળો બન્યો છે કે તેની વિહવળતા લગભગ રોગ કક્ષાએ પહોચી ગઇ છે, કપાયેલા પતંગ જેવો બેચેન છે.
સિસ્ટમ ની જાળવણી ફરજભાન સિવાય શક્ય નથી. કૃષ્ણ આવા ફરજધર્મને સ્વધર્મ કહે છે. ગીતાજી સ્વધર્મનિષ્ઠાનું ઉદ્દાત્ત કાવ્ય છે. પણ તેને ભક્તિનો સંગાથ જોઇએ. નહિતો યાદવાસ્થળીની શક્યતા હાથવેગળી જ..
તાજા અભિપ્રાયો