શ્રી અરવિંદના વિષે વાતો કરવા માટે, સમજવા માટે મારી લાયકાત શું? પણ, એમની વાતો કરતી વખતે આકાશને ગલેફ ચઢાવતા હોય તેવી લાગણી થાય.એમને વિશ્વનિર્મિતીથી ઓછું ક્શું ન ખપે.
જ્ઞાતિ-પેટાજ્ઞાતિ, પંથ-પેટાપંથ, વાદ-પ્રતિવાદ, રાષ્ટ્રવાદ- રાજ્યવાદ અને પુર્વગ્રહો-અભિગ્રહોના બંદીવાન બની જીવનારા માનવમાટે શ્રી અરવિંદ કહેઃ
High architects of possibility
And engineers of impossible.
આપણે સૌ શક્યતાના સ્થપતિઓ અને અશક્યતાના ઇજનેરો છીએ. આપણે કોશેટામાંથી બહા્ર નથી આવી શક્તા. વળી, આપણી સંકુચિતતાનું અભિમાન પણ રહે. અસલ ‘સ્વ’ના અસ્તિત્વને દીવાલ વગરના કેદખાનામા પુરીને, ઓઢી લીધેલ ઉપલકિયાપણાથી નિરાશ અને દુઃખી થવાના હ્ક નું જતન કરતા હોઇએ છીએ.
આપણા યુગના સામાન્ય માણસ માટે આ દર્શન તે મહાકાવ્ય The Life Divene રુપે પ્રાપ્ત થયું. જેમાં વ્યક્તિગત ‘સ્વ’ને કોસ્મિક ‘સ્વ’ સાથે સંવાદિતા, આધ્યાત્મિક પૂર્ણતા એટલે શાશ્વત દિવ્યજીવન કરવાની વાત છે. જે ભીતર તરફ જીવન ન વળે ત્યાં સુધી અશક્ય. સમય કાઢી વાંચવાની ભલામણ કરું છુ.
તાજા અભિપ્રાયો