Posted by: પ્રશાંત સોની | November 14, 2009

મિત્રો, મહર્ષિ અરવિંદનું મહાકાવ્ય “સાવિત્રી”નાં અંશો ઉપસ્થિત કરું છું.


           શ્રી અરવિંદના વિષે વાતો કરવા માટે, સમજવા માટે મારી લાયકાત શું? પણ,  એમની વાતો કરતી વખતે આકાશને ગલેફ ચઢાવતા હોય તેવી લાગણી થાય.એમને વિશ્વનિર્મિતીથી ઓછું ક્શું ન ખપે.

           જ્ઞાતિ-પેટાજ્ઞાતિ, પંથ-પેટાપંથ, વાદ-પ્રતિવાદ, રાષ્ટ્રવાદ- રાજ્યવાદ અને પુર્વગ્રહો-અભિગ્રહોના બંદીવાન બની જીવનારા માનવમાટે શ્રી અરવિંદ કહેઃ

                          High architects of possibility 

                         And engineers of impossible.

          આપણે સૌ શક્યતાના સ્થપતિઓ અને અશક્યતાના ઇજનેરો છીએ. આપણે કોશેટામાંથી બહા્ર નથી આવી શક્તા. વળી, આપણી સંકુચિતતાનું અભિમાન પણ રહે. અસલ ‘સ્વ’ના અસ્તિત્વને દીવાલ વગરના  કેદખાનામા પુરીને, ઓઢી લીધેલ ઉપલકિયાપણાથી નિરાશ અને દુઃખી થવાના હ્ક નું જતન કરતા હોઇએ છીએ.

        આપણા યુગના સામાન્ય માણસ માટે આ દર્શન  તે મહાકાવ્ય  The Life Divene રુપે પ્રાપ્ત થયું. જેમાં વ્યક્તિગત ‘સ્વ’ને કોસ્મિક ‘સ્વ’ સાથે સંવાદિતા, આધ્યાત્મિક પૂર્ણતા એટલે શાશ્વત દિવ્યજીવન કરવાની વાત છે. જે  ભીતર તરફ જીવન ન વળે ત્યાં સુધી અશક્ય. સમય કાઢી વાંચવાની ભલામણ કરું છુ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.