મિત્રો,
માહિતીના યુગમાં શ્વાસ લઇ રહ્યા છે. મગજનું સ્થાન કોમ્પ્યુટરે લીધું છે. છતાં મગજ જેટલી ક્ષમતા ધરાવતું નથી. ગણનનો બોજ ઘટી ગયો છે. ગણપતિનાં ગણ્રરાજ્યમાં ‘ગણક યંત્ર’ સમ્યક ક્રાંતિ લઇને આવ્યું છે.
ઔરંગઝેબ ઇ.સ.૧૭૦૭ માં અવસાન પામેલો એ હું સને ૧૯૮૦ માં ભણેલો. આવી અનેક નકામી માહિતીના જાળા પચીસ-પચીસ વર્ષો સુધી મગજનાં કાતરીયામાં ભંગારની જેમ સંઘરાઇ પડેલા છે. જે આજે World Wide Web નામનું વિશ્વમાં ફેલાયેલું જાળા-યંત્ર આજનાં બાળકને મુક્ત કરશે.
માહિતી હાથવગી હોય પછી ગોખવાની ક્દાચ જરુર નહી પડે. પરંતુ, એ માહિતીને આધારે ડહાપણ અને સમજ્ણનો વિકાસ ના થાય તો ‘શિક્ષણ’ ક્ષીણ થતું જ્શે. ટી. એસ. એલિયટે તેની પંક્તિમાં માહિતી, જ્ઞાન અને ડહાપણ વચ્ચેની સૂક્ષ્મરેખા દોરી બતાવી હતી. ડહાપણ વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાની માહિતી ઘણા ગોટાળા ગુંજવશે. પ્રત્યેકના મનમાં આકાંક્ષાઓનું એક વિશ્વ રચાતું રહે છે. પરિણામ સ્વરુપે વિજ્ઞાને આપણા હાથમાં અક્ષયપાત્ર મુકી દીધા છે, તે સાથે અવનવી સમસ્યા શૌકરુપે લેતું આવે છે જે પાત્ર ભિક્ષાપાત્ર બની રહે છે. રોજ નવ નવા ઉપકરણોના ઉકરડા આપણા જીવનમાં ખડકાતા જાય છે. ઇવાન ઇલીચે તેને માણસ પર ચઢી બેસનારા છે તેમ તેના “Tools for Conviviality” નામનાં પુસ્તક્માં બતાવ્યા છે. એલ્વીન ટોફ્લરે ” Future Shock”માં શબ્દ પ્રયોજ્યો છે ” Transience”. વિજ્ઞાનથી જે ઝડપે વસ્તુઓ, માહિતી અને લોકો સાથેનાં સંબંધો બદલાતા રહેલા છે તે જોતાં, માનવીય સંબંધો, કુટુંબજીવન અને મનોવિજ્ઞાન પર વિસ્ફોટ સર્જાય તો વિસ્મય અજુગતો નહી લાગે.
ચાલો મિત્રો, માનવયંત્રોનું સામૈયું કરવા જરુર તત્પર થઇએ. પણ? એ મુક્તિદાતા ( લિબરેટર) બને એ શક્ય છે ખરું? એક ચીજ જે કાયમી છે તે ફેરફાર. માન્યું. પણ, માનવયંત્ર સાથે કામ કરતાં કરતાં થાકેલો માનવ પોતાની સાથે ઝઘડો કરનારા બીજા માનવને એમ ક્દાચ કહેતો હશે ” લડ્વાને બહાને પણ મારામાં જીવંત રસ લેવા બદલ આભાર”
તેમાં મારું પ્રાધાન્ય શેમાં? મારો રોલ શું? વિચારીએ, વલોવીએ, વહેતું કરીએ..
તાજા અભિપ્રાયો